લેક્ટોઝ ન પચવાની (એલઆઈ) સમસ્યા એ સમગ્ર વિશ્વની સાથે-સાથે આપણા દેશમાં પણ સર્વસામાન્ય બાબત છે અને ઉલ્લેખનીય છે કે આપણા દેશને દુગ્ધાલય પણ કહેવામાં આવે છે. એક તૃત્યાંશથી વધુ ભારતીયો લેક્ટેઝની ખામીથી પીડાય છે.
લેક્ટોઝ નામની દૂધ શર્કરાને પચાવવામાં અસમર્થતા, પેટમાં લેક્ટેઝ નામના એન્ઝાઇમની અપૂરતી માત્રાને કારણે થાય છે. લેક્ટોઝની ખામીને કારણે લેક્ટોઝ પચતું નથી, જેના કારણે પેટમાં દુઃખાવો, સોજો, આંતરડામાં ગુડગુડ, ગેસ, ગભરામણ, ઊલટી અને ઝાડા જેવા વિવિધ જીઆઈ લક્ષણોની સાથે-સાથે લેક્ટોઝ ન પચવાની સમસ્યા પેદા થાય છે.
ક્યારેક-ક્યારેક સંપૂર્ણપણે દૂધમાંથી બનેલા દૂધના ઉત્પાદનો સિવાય લેક્ટોઝ ઘણાં તૈયાર ખાદ્યપદાર્થો (જેમાં દૂધની સામગ્રી સામેલ કરવામાં આવેલ હોય છે) અને પેય પદાર્થોમાં પણ ઉપસ્થિત હોઈ શકે છે તથા તેનું પરિણામ એલઆઈ હોય છે. લેક્ટોઝ ન પચવાના કુદરતી અને સુરક્ષિત ઉપાય માટે ભારતમાં પહેલીવાર યામૂ ટેબલેટ્સ (લેક્ટેઝ એન્ઝાઇમ ચ્યુએબલ ટેબલેટ)ને રજૂ કરવામાં આવી રહી છે, જે લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે અને આ રીતે લેક્ટોઝ ન પચવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
લેક્ટેઝ એન્ઝાઇમ ટેબલેટ્સ
લેક્ટેઝ ચ્યુએબલ ટેબલેટ્સ એ એક આહાર સપ્લિમેન્ટ છે, જે દૂધના ખાદ્યપદાર્થોને સ્વાભાવિકરૂપે વધુ સુપાચ્ય બનાવી દે છે. લેક્ટોઝ ચ્યુએબલ ટેબલેટ્સમાં કુદરતી એન્ઝાઇમ લેક્ટોઝ હોય છે, જે એસ્પેરેઝિલસ ઓરીઝા ફૂગમાંથી પ્રાપ્ત થાય છે તથા દૂધના ખાદ્યપદાર્થોમાં જોવા મળતી જટિલ શર્કરા, લેક્ટોઝને તોડવામાં મદદ કરે છે.
સંરચના: પ્રત્યેક યામૂ ચ્યુએબલ ટેબલેટમાં નીચે મુજબ ઉપસ્થિત હોય છેઃ લેક્ટેઝઃ 4500 એફસીસી યુનિટ
ઉપયોગ માટેના નિર્દેશ: દૂધના (લેક્ટોઝ) ભોજન / પીણાં લેતાં પહેલાં કોળિયો ખાતાં / ઘૂંટડો ભર્યાના તુરંત પહેલાં કે તેની સાથે 1-2 ગોળી લેવી. ગળતાં પહેલાં સારી રીતે ચાવો. આપ જો 20થી 45 મિનિટ પહેલાં દૂધના ખાદ્યપદાર્થ / પીણાંનો ઉપભોગ કરો છો તો બીજી ટેબલેટ ન લેશો. જો ટેબલેટ ખાવાનું યાદ ન રહ્યું હોય તો તરુંત ખાઈ લો.


